Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં આજે ૨૯ પોઝીટીવ કેસ નોંધાયા. જ્યારે ૧૮ દર્દીઓ સ્વસ્થ...

મોરબીમાં આજે ૨૯ પોઝીટીવ કેસ નોંધાયા. જ્યારે ૧૮ દર્દીઓ સ્વસ્થ થયા: કુલ ૧૮૭ એક્ટિવ કેસ.

ઝડપથી પ્રસરી રહેલા કોરોનાના કેસ આરોગ્ય તંત્રની ચિંતા વધારી રહ્યા છે. આજે વધુ 29 દર્દી સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. મોરબી જિલ્લામાં સતત વધી રહેલા કોરોનાનાં કેસ વચ્ચે સપ્તાહના અંતે એટલે કે શનિવારે વધુ 29 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જયારે 18 દર્દીઓ સાજા થઈ જતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આજે મોરબી જિલ્લામાં 29 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં મોરબી ગ્રામ્યમાં 9 અને શહેરમાં પણ 9 કેસ મળી 18 પોઝીટીવ કેસ નોંધાયા છે.  જયારે ટંકારા ગ્રામ્યમાં 5 જયારે શહેરમાં 0 તેમજ માળીયા ગ્રામ્યમાં 2 અને શહેરમાં 0 કેસ નોંધ્યા છે. જયારે વાંકાનેર ગ્રામ્યમાં 03 તથા શહેરમાં 01 કેસ નોંધાયા છે. જયારે હળવદ ગ્રામ્ય તથા શહેરમાં એક પણ ઝીટીવ કેસ નોંધાયો નથી. જયારે મોરબીના 10, વાંકાનેરના 02, હળવદ 01 અને ટંકારાના 05 દર્દી સ્વસ્થ થઈ જતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ મોરબીમાં કોરોનાનો એક્ટિવ કેસનો આંક 187 પર પહોંચ્યો છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!