Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : રાજપૂત કરણી સેના દ્વારા કોરોના કાળમાં લોકોની સેવા કરનારાઓને સન્માનીત...

મોરબી : રાજપૂત કરણી સેના દ્વારા કોરોના કાળમાં લોકોની સેવા કરનારાઓને સન્માનીત કરાયા

આજ રોજ રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા તેમજ મોરબી શહેરની ટીમ દ્વારા કોરોનાનાં કપરા સમયમાં લોકોની વચ્ચે રહીને સેવા કરતા મોરબી-માળીયાનાં પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયતના સભ્ય અને મોરબી જિલ્લા બાંધકામ સમિતિનાં ચેરમેન અજય લોરિયા, અને મોરબી રાજપૂત સમાજના આગેવાન અને સર્વે સમાજની સાથે રહીને સામાજિક સેવા કરતા મહાવીરસિંહ જાડેજા (ચાંદલી)નું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, મોરબી જીલ્લા મહા મંત્રી શક્તિસિંહ જાડેજા, મોરબી જિલ્લા ઉપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા પીલુડી, મોરબી શહેર મહા મંત્રી સુખદેવસિંહ જાડેજા, હર્ષજીતસિંહ જાડેજા, સહ મંત્રી ઓમદેવસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!