Friday, March 29, 2024
HomeGujaratમોરબી : નાનીવાવડી ગામે પાણાના ઘા કેમ કરો છો કહી ત્રણ શખ્સોનો...

મોરબી : નાનીવાવડી ગામે પાણાના ઘા કેમ કરો છો કહી ત્રણ શખ્સોનો યુવાન પર હુમલો, ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નાની વાવડી ગામે ખોડીયાર ડેરીની સામે આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા કૃણાલભાઈ ઉપેન્દ્રભાઈ ગોવાણી (ઉ.વ.30) એ તેમની પાડોશમાં રહેતા ઉપેન્દ્રભાઈ જોષી, લતાબેન ઉપેન્દ્રભાઈ જોષી, ગૌરવભાઈ ઉપેન્દ્રભાઈ જોષી સામે ફરિયાદ નોંધાવી છે કે, તા.૧૨ ના રોજ રાત્રીના બે વાગ્યાના સુમારે ગાયત્રીનગર સોસાયટી નાની વાવડી ગામે ફરીયાદીના પિતાના મિત્ર મનીષભાઈ જોષી બિમાર હોય જેથી ફરીયાદી તથા સાથેના હિતેશભાઈ આરોપીના ઘર પાસે રાત્રીના સમયે બેઠેલ હોય તે દરમ્યાન આરોપીના ઘરની દીવાલ ઉપર તગારૂ રાખેલ હોય જે પવનના કારણે પડતા આરોપીઓએ ઘરમાથી બહાર આવી ફરીયાદીને ‘કેમ પાણાના ઘા કરો છો’ તેમ કહી આરોપીઓએ ફરીયાદી તથા હિતેશભાઈ સાથે ઝગડો, બોલાચાલી તથા ગાળાગાળી કરી તેમજ પાઇપ વડે ફરીયાદીને જમણા હાથે તથા જમણી આંખની બાજુમા ફેક્ચર જેવી ઈજા કરી તથા સાથેનાં હિતેષભાઈને મુંઢ ઈજા કરી તેમજ ફરીયાદીના પિતાને માથાના ભાગે પાઈપ વડે ઈજા કરી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!