Thursday, March 28, 2024
HomeGujaratમોરબી : બે શખ્સોએ ગેરકાયદે બાંધકામ કરીને જમીન પચાવી પાડવાનો કારસો રચતા...

મોરબી : બે શખ્સોએ ગેરકાયદે બાંધકામ કરીને જમીન પચાવી પાડવાનો કારસો રચતા લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાઈ

બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાં સરદારબાગની પાછળ આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા જસવંતીબેન રજનીકાંતભાઇ કોટેચા (ઉ.વ.૭૪)એ આરોપીઓ નવઘણભાઇ નાગજીભાઇ ભરવાડ અને કરણાભાઇ કુકાભાઇ ભરવાડ (રહે બંને રોહીદાશપરા મેઇન રોડ) વાળા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીની માલીકીના નવલખી રોડ ઉપર આવેલ લાઇન્સનગર સોસાયટીના સર્વે નં.૨૦ પ્લોટ નં.૮૭ માં આરોપીઓએ પુર્વ ભાગે દબાણ કરી જમીન પચાવી બાંધકામ કરી ઓરડી બનાવી રહેણાંક માટે ઉપયોગ કરી તેમજ ફરીયાદીના પ્લોટમાં પોતાના મકાનની દીવાલ બનાવી તેમજ ખુલ્લા પ્લોટમાં માલઢોર બાંધવાનો વાડો બનાવી પોતાના અંગત ફાયદા માટે ઉપયોગ કરી આરોપીઓએ ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી હતી. આ બનાવની ફરિયાદના આધારે નાયબ પોલીસ અધિક્ષક એમ. આઇ. પઠાણે વધુ તપાસ હાથ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!