Friday, March 29, 2024
HomeGujaratમોરબી : જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ગુરુવારે કોરોનામા મૃત્યુ પામનાર દીવગંતોના આત્માની...

મોરબી : જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ગુરુવારે કોરોનામા મૃત્યુ પામનાર દીવગંતોના આત્માની શાંતિ અર્થે વૈદીક મહાયજ્ઞ તથા શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિશ્વ શાંતિ અર્થે છેલ્લા ઘણા સમય થી વૈદિક યજ્ઞ ચાલુ છે ત્યારે આગામી ગુરુવાર તા.૧૩ નાં રોજ કોરોના મા મૃત્યુ પામનાર દીવંગત આત્મા ના શાંતિ અર્થે મહાયજ્ઞનુ આયોજન કરવામા આવેલ છે. દરેક પરિવારે આ સમય દરમિયાન પોતાના ઘરે યજ્ઞ કરી આ સામુહીક શાંતિ ના કાર્યક્રમ મા જોડાવવા અનુરોધ કરવા મા આવ્યો છે. જે અંતર્ગત આગામી બુધવાર તા.૧૨ના રોજ મોરબી જલારામ મંદિર ખાતેથી સર્વજ્ઞાતિય યજ્ઞ સામગ્રી તથા શ્રધ્ધાંજલિ પત્રિકાનુ વિતરણ કરવામા આવશે. કોરોનાની મહામારીમા પરિવારે ઘરે જ રહી પોતાના પરિવારના સભ્યો દ્વારા યજ્ઞમા આહુતિ આપી પોતાના સ્વજનોના આત્માના મોક્ષ તથા શાંતિ અર્થે શ્રધ્ધાંજલિ અર્પણ કરવા ની રહેશે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી જલારામ મંદિરના અગ્રણી અરવિંદભાઈ સોમૈયા તથા અન્ય આગેવાનો દ્વારા જલારામ મંદિર ખાતે આ જ સમયે યજ્ઞ તેમજ શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. યજ્ઞ દ્વારા ઉત્પન્ન થતી ઊર્જા સકારાત્મકતા પ્રદાન કરે છે તેમજ વિવિધ રોગો માંથી મુક્તિ પ્રદાન કરે છે તેવો ઉલ્લેખ આપણા પૌરાણિક શાસ્ત્રો મા કરવા મા આવેલ છે. તેથી આ ભગીરથ કાર્ય મા બહોળી સંખ્યા મા સર્વજ્ઞાતિય પરિવારજનો જોડાય તેમજ એક સમયે યજ્ઞ કરી દિવંગતો ને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા સંસ્થા ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, ચંદ્રવદન ભાઈ પુજારા, હરીશભાઈ રાજા, અરવિંદભાઈ સોમૈયા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હીતેશ જાની અને જલારામ સેવા મંડળનાં પ્રમુખ નિર્મિત કક્કડ સહીતનાઓએ અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!