Friday, March 29, 2024
HomeGujaratમોરબી : વોર્ડ નં. ૧૧ની સોસાયટીના મેઈન રોડ પર આવેલ ૧૧ કે.વી....

મોરબી : વોર્ડ નં. ૧૧ની સોસાયટીના મેઈન રોડ પર આવેલ ૧૧ કે.વી. વીજ લાઈન તાત્કાલિક બદલવા માંગ

મોરબી નગરપાલિકા વોર્ડ નં. ૧૧નાં કાઉન્સીલર અલ્પાબેન કંઝારીયાનાં પતિ રોહિતભાઇ કંઝારીયા તથા મોરબી જીલ્લા ભાજપ આઈટી સેલનાં સહ ઈન્ચાર્જ ચંપકસિંહ રાણા દ્વારા પીજીવીસીએલ કચેરીનાં ઈજનેરને આવેદન પત્ર પાઠવી વોર્ડ નં. ૧૧નાં આનંદનગર, ગુલાબનગર તથા શ્રીજી પાર્ક સોસાયટીનાં મેઈન રોડ પરથી પસાર થતી ૧૧ કે.વી. વિજ લાઈન બદલાવવા અંગે રજુઆત કરવામાં આવી છે. રજુઆત કરતાં તેઓએ જણાવ્યું છે કે આ રોડ પર બહોળી સંખ્યામાં લોકો વસવાટ કરતા હોય અવારનવાર લાઈન ટુટતી હોય જંપર તુટતા હોય વિજશોક લાગવાનું જોખમ હોય બાળકો તથા લોકોને જાનહાનિ થવાનો ખતરો હોય અને અગાઉ ઘણીવાર પશુઓ વિજશોકનાં કારણે મરણ પામેલ હોય આવી સ્થિતિમાં તમામ લાઈન તાત્કાલિક બદલવા માંગ કરવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જો ઉપરોક્ત વિજ લાઈન તાત્કાલિક બદલવામાં નહિ આવે અને કોઈ જાનહાનિ થશે તો તેની સંપુર્ણ જવાબદારી વિજતંત્રની રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!