Friday, April 19, 2024
HomeGujaratમોરબી : “તારો મિત્ર ઉછીના લીધેલા પૈસા કેમ આપતો નથી” કહી યુવાનને...

મોરબી : “તારો મિત્ર ઉછીના લીધેલા પૈસા કેમ આપતો નથી” કહી યુવાનને માર માર્યો, ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના વિરપર ગામે રહેતા પંકજભાઈ વ્રજલાલ નિમાવત (ઉ.વ.૩૯) એ આરોપીઓ વરૂણ ઉર્ફે ટીનો તથા વિરમ રબારી (રહે. બંને શનાળા ગામ, મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તેના મિત્ર કમલેશએ આરોપી પાસેથી હાથ ઉછીના પૈસા લીધેલ હોય અને પૈસાની લેતી દેતી બાકી હોય આરોપીએ ફોન કરી કહેલ કે આ કમલેશ કેમ પૈસા આપતો નથી અને શનાળા ગામ મેલડી માતાના મંદીરે આવ. જેથી ફરીયાદી બોલાવેલ જગ્યાએ આવતા આરોપીઓએ પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે માર મારી ડાબા પગમાં તથા જમણા પગમાં તથા ડાબા હાથની ટચલી આંગણીમાં ફેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા બીજા અજાણ્યા બે માણસો જેને ગાળો આપી હતી. બનાવની ફરિયાદનાં આધારે એ ડિવિઝન પોલીસે આરોપીઓ સામે કલમ-૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!