Thursday, April 18, 2024
HomeGujaratમોરબી : આરટીઓ પુલ નજીક મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવી યુવાનનો આપઘાત

મોરબી : આરટીઓ પુલ નજીક મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવી યુવાનનો આપઘાત

આરટીઓ પુલ નજીક મચ્છુ-૩ ડેમ બન્યો સ્યુસાઇડ પોઈન્ટ હજુ થોડા દિવસો પહેલા જ યુવતીએ કર્યો હતો આપઘાત ત્યારે ગતરાત્રે આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો.

- Advertisement -
- Advertisement -

મોરબી બાયપાસ પર આરટીઓ પુલ નજીક મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવી યુવાને આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગતરાત્રે મોરબીનાં રવાપર એસ. પી. રોડ પર રહેતા આશિષભાઈ થોભણભાઈ જાકાસણીયા (ઉં.વ.૩૫) નામનાં યુવાને કોઈ કારણસર આરટીઓ પુલ નજીક મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી પરંતુ અંધકારને પગલે ડેડબોડી મળી નહોતી જ્યારે આજે સવારે ફરીથી તપાસ હાથ ધરવામાં આવતાં યુવાનની ડેડબોડી મળી આવી હતી. હાલ પોલીસે યુવાનની ડેડબોડીને પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડી બનાવની નોંધ કરી આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!