Thursday, March 28, 2024
HomeGujaratમોરબીની રવિરાજ ચોકડી નજીક થયેલા અકસ્માત મામલે મૃતકના સસરાએ ટ્રક ચાલક વિરુદ્ધ...

મોરબીની રવિરાજ ચોકડી નજીક થયેલા અકસ્માત મામલે મૃતકના સસરાએ ટ્રક ચાલક વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ રવિરાજ ચોકડી નજીક ધાબા પાસે ગઈ કાલે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઈક સવાર બે યુવાનના મોત નિપજતા આ અંગે મૃતકાન સબંધીએ ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ગઈકાલે મોરબીની રાવીરાજ ચોકડી નજીક ટ્રક અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડ પર GJ 01 CT 5596 ટ્રકના ચાલકે કોઇ લાઇટ કે ઇન્ડીકેટર ચાલુ રાખ્યા વગર રોડ વચ્ચે ઉભુ રાખી દેતા શિયારામભાઈ નું વાહન બાઈક નંબર MP 12 MZ 2995 આ ટ્રકની પાછળ ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં લાલસિંગ ફાટીયાભાઈ સૂરયાને માથામાં તેમજ શરીરે ગંભીર ઇજા થઇ હતી તથા શીયારામભાઈને શરીરે તેમજ માથામાં હેમરેજ સહિતની બીમારી થતા તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજયુ હતું આથી મૃતક લાલસિંગના સસરા નાનાલાલ તેરસીંગ દાવર (રહે.મોટીવાવડી ગામ પાસે ગાંધીનગર ગામની સીમમાં લાલુભાઈ દરબારની વાડી તા. જી મોરબી) એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!