Thursday, March 28, 2024
HomeGujaratબેંકે જાવ છું કહી મોરબીના આધેડ લાપતા બન્યા

બેંકે જાવ છું કહી મોરબીના આધેડ લાપતા બન્યા

મોરબીના રોહિદાસપરા શેરી નંબર 6મા આવેલ રાધે ક્રિષ્ના મંદિર નજીક રહેતા દેવજીભાઈ મોહનભાઈ શુક્લ નામના 60 વર્ષીય આધેડ ગત તા.૨૮/૦૧/૨૦૨૨ ના રોજ ૯/૪૫ ના સમયગાળા દરમીયાના લાપતા બનતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

બેંકે જાવ છુ તેમ કહી દેવજીભાઈ ક્યાંક ચાલ્યા ગયા હોય જે આજ દિન સુધી પરત ન ફરતા પરિવારજનોએ આજુબાજુમાં અને સગા સબંધીઓને ટેલિફોનિક જાણ કરી હતી છતાં દેવજીભાઈની ભાળ ન મળતા ગુમ થનારના પુત્ર પ્રવિણભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી. ગુમ થયેલ દેવજીભાઈ ધોરણ-૭ સુધી ભણેલ છે તેઓ મધ્ય બાંધાના અને આશરે સાડા પાચેક ફુટ ઊંચાઈ અને શ્યામ વર્ણના ધરાવે છે તથા ગુજરાતી હિન્દી ભાષા જાણે છે. આ અંગે કોઈ પણ વ્યક્તિને જાણ થાય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!