Sunday, May 5, 2024
HomeGujaratમોરબીના વાંકાનેરમાં સામાન્ય બાબતમાં એકની લોથ ઢળી : પોલીસે ગુનો નોંધવા તજવીજ...

મોરબીના વાંકાનેરમાં સામાન્ય બાબતમાં એકની લોથ ઢળી : પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી

મોરબી તાલુકાના વાંકાનેરમાં સામાન્ય બાબતમાં એકની લોથ ઢળી: પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ સોમવારની સાંજે વાંકાનેરના ગાયત્રી મંદિર પાસે આવેલ વૃદ્ધઆશ્રમ સામે આવેલ ગરબી ચોકમાં સામાન્ય બાબતે હત્યાનું સ્વરૂપ ધારણ કરી લીધું જેમાં તેજ વિસ્તારમાં રહેતા કોળી યુવાન કેશાભાઈ જીવાભાઈ ધંધુકિયા ઉ.વ ૩૬ નામના વ્યક્તિને છરીના ઘા ઝીંકી દેતા ત્યાંના સ્થાનિકો દ્વારા તેમને પ્રાઇવેટ વાહનમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો.

આ બનાવની જાણ વાંકાનેર પોલીસને થતા પોલીસ કાફલો સરકારી હોસ્પિટલ ખાતે દોડી જઈ આગળની તજવીજ હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે સ્થાનિકોમાં આ ઘટનાને પગલે ભારે ભય ફેલાયો છે ત્યારે વાંકાનેર શહેર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!