Saturday, May 18, 2024
HomeGujaratમોરબીના શનાળા રોડ પર આખલા યુદ્ધથી વાહનોમાં ભાંગતુટ: વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા

મોરબીના શનાળા રોડ પર આખલા યુદ્ધથી વાહનોમાં ભાંગતુટ: વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા

મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે માઝા મૂકી રહ્યો છે. આજે મોરબીના એક પણ મુખ્ય રસ્તાઓ એવા નહી હોઈ જ્યાં રેઢિયાળ ઢોરનો ત્રાસ ન હોઈ! અવારનવાર આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવતા હોવા છતાં તંત્ર દ્વારા રખડતા ઢોરનો ત્રાસ અટકાવવા કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

આજે સવારે મોરબીના શનાળા રોડ પર આવેલ માર્કેટ યાર્ડ ખાતે બે ખૂંટીયાઓ યુદ્ધે ચડતા દોડધામ મચી ગઇ હતી. અને રાહદારીઓના જીવ પડીકે બંધાયા હતા. 20 થી 25 મિનિટ ચાલેલા આ આખલા યુદ્ધને પગલે નાના મોટા અનેક વાહનોમાં નુકશાન થયું હતું. આ ઉપરાંત સ્કૂલે જતા બાળકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

મોરબી પાલિકા તંત્ર આ સમસ્યાનો નિવેડો લાવવા શેરી ગલીઓમાં રખડતા ઢોરને તાત્કાલિક પૂરવામાં આવે તેવી સામાજિક અગ્રણી અબ્દુલભાઈ બુખારી સહિતના અગ્રણીઓ દ્વારા માંગ ઉઠવાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!