Tuesday, April 23, 2024
HomeGujaratમોરબીમાં આવતીકાલથી કુંડામાં વાવી શકાય એવા 30 થી વધુ રંગબેરંગી ફૂલ છોડના...

મોરબીમાં આવતીકાલથી કુંડામાં વાવી શકાય એવા 30 થી વધુ રંગબેરંગી ફૂલ છોડના રોપાઓનું રાહત દરે વિતરણ કરવામાં આવશે

વિવિધ પ્રકારના અન્ય વ્રુક્ષોના રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં આવતીકાલે તારીખ 4 જુલાઈ રવિવારથી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા સંસ્થાના લાભાર્થે રંગબેરંગી ફૂલ છોડના રોપઓનું રાહત ભાવે થી વિતરણ શરૂ કરવા માં આવશે. જેમાં ગુલાબ, આલમંડા દ્વાફ, રાત રાણી, એમેલીયા, ટગર ડબલ, ટગર સિંગલ, એન્જીમેનિયા, લેમનપટ્ટી, ટગર વેરીગેટેડ, જેટરોફા, લહેરિયા, એકલીફા, ફાયકસ સ્ટાર, ફાયકસ સફારી, રોહયા, એરેનપીમાં રેડ, એરેનપીમાં ગ્રીન, મધુમાલતી વેલ, જાસૂદ લાલ, જાસૂદ પિંક, જાસૂદ વાઇટ, એક્ઝોરા, ચાઈનીઝ ટગર, ફ્લેમિંગો, ટ્રેસીના, કેસરી કેવળો, મનિવેલ, શ્રીલંકન મોગરો, જુઈ, લેન્ટના, નરગીસ, લાલ હેમીયા, બારમાસી વગેરેના રોપઓ મળશે.

આ સાથે સાથેજ મિત મનસુખભાઈ આદ્રોજાના જન્મ દિવસ નિમિત્તે એક હજારથી વધુ વ્રુક્ષોના રોપાઓનું એકદમ વિનામૂલ્યે વિતરણ પણ કરવા માં આવશે. જેમાં જામફળ, સીતાફળ, દાડમ, ગુંદો, આમળાં, બદામ, તુલસી, મીઠો લીમડો, જંબુડા, લીંબુ, આસોપાલવ (ગોળ), ઉમરો, આમલી, લીમડો, સવન, સેતુર વગેરે તમામ રોપાઓ વિનામૂલ્યે આપવા માં આવશે.

આ રોપાઓનું વિતરણ આવતીકાલે તારીખ 4 જુલાઈ રવિવાર થી રોપઓ હશે ત્યાં સુધી દરરોજ સાંજે 5 થી 8 કલાક દરમ્યાન કર્તવ્ય જીવદયા કેન્દ્ર, રવાપર ઘુંનડા રોડ, મોરબી ખાતે કરવામાં આવશે. વધુ માહિતી માટે મો. 7574868886 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!