Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે નવરંગ માંડવો, મહાપ્રસાદનું આયોજન કરાયું

મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે નવરંગ માંડવો, મહાપ્રસાદનું આયોજન કરાયું

મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર મોરબી પંથકવાસીઓના આસ્થાના અખૂટ સાગર સમાન છે ત્યારે શ્રી ધક્કાવાળી મેલડી માતાના મંદિરે તા ૧૧-૦૪ ને સોમવારના રોજ મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે ૬ વાગ્યે મહાપ્રસાદને રાત્રે ૯:૩૦ કલાકે માતાજીના નવરંગ માંડવો યોજાશે. જેમાં શિવરાજ પુરવાળા રાવળદેવ હરદેવભાઈ માતાજીના દુહા,ગરબા, ગાઈ ડાકલાની રમઝટ બોલાવશે. જેમાં માતાજીના ભુવા કાનજીભાઈ જીવણભાઈ ગરીયા ઉપસ્થિત રહેશે. જેમાં બહોળી સંખ્યામાં ભક્તોને આ માતાજીના નવરંગ માંડવાના દર્શન, પ્રસાદનો લાભ લેવા શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરની યાદીમાં જણાવ્યું છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!