Tuesday, April 23, 2024
HomeGujaratવાંકાનેરના દલડી ગામ નજીક સગાઈ કરેલ યુવક યુવતીએ ટ્રેન હેઠળ ઝંપલાવી આયખું...

વાંકાનેરના દલડી ગામ નજીક સગાઈ કરેલ યુવક યુવતીએ ટ્રેન હેઠળ ઝંપલાવી આયખું ટૂંકાવ્યું: બે માસ બાદ હતા લગ્ન

ગંગીયાવદર ગામે રહેતા યુવાનની ઉંડવી ગામે રહેતી યુવતી સાથે સગાઈ થઈ હતી જેના બે માસ આગાઉ લગ્ન નિર્ધારેલ હતા તે દરમિયાન આજે વાંકાનેરના દલડી ગામ નજીક આ બન્ને યુવક યુવતીએ ટ્રેન હેઠળ પડત્તું મૂકી આપઘાત કરી લેતા વાંકાનેર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

- Advertisement -
- Advertisement -

દલડી ગામ નજીક આવેલ રેલ્વે યાર્ડ પાસે પુર પાટ વેગે ધસમસતી આવતી અમદાવાદ સોમનાથ ટ્રેન હેઠળ ગંગીયાવદર ગામના વિજયભાઈ ગોરધનભાઈ ગોંડલીયા (ઉ.વ.૨૬) અને થાન તાલુકાના ઉંડવી ગામે રહેતી યુવતીએ સજોડે ઝંપલાવ્યુ હતું. આ ઘટનામાં ટ્રેનની ઠોકરે બન્નેને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ બન્ને નું મોત નિપજયુ હતું. આ ઘટનાની જાણ થતા રેલ્વે પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી જ્યાં બંનેના મૃતદેહનો કબ્જો સાંભળી પી એમ અર્થે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન
વિજય ગોરધનભાઈ ગોંડલીયા અને મૃતક યુવતી બંનેની સગાઈ થઇ ગઈ હોય અને આગામી બે માસ બાદ તેઓના લગ્ન યોજવાના હતા. પરંતુ લગ્ન યોજાઈ તે પૂર્વે બન્નેએ જીવતરનો અંત આણી લીધાનું સામે આવ્યું છે. જોકે આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!