Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના પંચાસર રોડ પર વાડીએ આધેડ નો ગળાફાંસો ખાઇ આપઘાત

મોરબીના પંચાસર રોડ પર વાડીએ આધેડ નો ગળાફાંસો ખાઇ આપઘાત

મોરબી માં આવેલ સનાળા માં નવા પ્લોટ મા રહેતા પટેલ પ્રોઢ એ વાડીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પટેલ પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે બનાવ અંગેની જાણ સીટી પોલીસ માં કરવામાં આવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

આ અંગેની માહિતી મુજબ મોરબીના સનાળા વિસ્તારમાં આવેલ નવા પ્લોટ મા રહેતા દિનેશભાઈ છગનભાઈ પાડલીયા ઉંમર વર્ષ 52 નામના પટેલ પ્રોઢ ગઈકાલે પંચાસર રોડ પર આવેલ પોતાની વાડીએ અત્યારે કોઈ કારણોસર ખેતર ના સેઢે ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ અંગેની જાણ તેના મોટાભાઈ ઇશ્વરભાઇ છગનભાઈ પાડલીયા એ પોલીસને કરતા મોરબી સીટી એ ડિવિઝન નો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા હેડ કોન્સ્ટેબલ એન.એસ મેસવાણીયા પ્રાથમિક તપાસ હાથ ધરી પટેલ આધેડ યે કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!