Monday, April 29, 2024
HomeGujaratમોરબીમાં કોરોના દિવંગતોના મોક્ષાર્થે રમેશભાઈ ઓઝાના શ્રીમુખે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં પ્રથમ...

મોરબીમાં કોરોના દિવંગતોના મોક્ષાર્થે રમેશભાઈ ઓઝાના શ્રીમુખે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં પ્રથમ દીવસે શ્રાવકોનું ઘોડાપુર ઉમટી પડ્યું

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેમના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા કોરોના કાળમાં દિવંગત થયેલા લોકોના મોક્ષાર્થે યોજવામાં આવી છે. આ કથાના વ્યાસપીઠ પર પૂજ્યશ્રી રમેશભાઈ ઓઝા બિરાજમાન થયા છે.

- Advertisement -
- Advertisement -

સપ્તાહમાં કોરોનાકાળમાં દિવંગત થયેલા લોકોના ફોટા મૂકી વિધિ વિધાન પણ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમ આજે સવારે 10:30 કલાકે શરુ થયો હતો. જેમાં પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકે નિમાયેલા ભાજપાના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાગવત કથાના પ્રથમ દિવસે કથા શ્રવણનો લાભ લીધો હતો. તેમજ તેમની સાથે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઇ બોધરાએ પણ શ્રીમદ્દ ભાગવત સપ્તાહના શ્રવનનો લાભ લીધો હતો તેમજ હજારો લોકોએ પ્રથમ દિવસની કથા શ્રવણ નો લાભ લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!