Friday, April 19, 2024
HomeGujaratહળવદના ઘનશ્યામગઢ નજીક નર્મદાની માઇનોર કેનાલ છલકાતા ખેતરોમાં પાણી ફરી વળ્યું

હળવદના ઘનશ્યામગઢ નજીક નર્મદાની માઇનોર કેનાલ છલકાતા ખેતરોમાં પાણી ફરી વળ્યું

હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે આજે નર્મદાની માઇનોર કેનાલ છલકાતા કેનાલથી ચાર કિલોમીટર વિસ્તારમાં આવેલા ખેતરો અને માર્ગો પાણી-પાણી થઇ ગયા હતા અને પાણીનો વિશાલ જથ્થો વેડફાઈ જવા પામ્યો હતો.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકામાં હાલમાં ખેડૂતો ચણા, ઘઉં ,જીરું, ધાણાના પાક ઉપાડી તલનું વાવેતર કરી રહ્યા છે. તેવા સમયે જ આજે ઘનશ્યામગઢ ગામની બાજુમાંથી પસાર થતી નર્મદા યોજનાની માઇનોર કેનાલ છલકાતા ધીમે-ધીમે પાણી આજુ બાજુના ચાર કિલોમીટર વિસ્તારમાં પહોંચી ગયું હતું.ખાસ કરીને કેનાલના છલકાયેલા પાણીને કારણે તલનું વાવેતર કરનાર ખેડૂતોને નુકશાની સહન કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!