Sunday, May 19, 2024
HomeGujaratમોરબી જલારામ મંદિરના આંગણે પંચદશમ્ પાટોત્સવનું કરાયું આયોજન

મોરબી જલારામ મંદિરના આંગણે પંચદશમ્ પાટોત્સવનું કરાયું આયોજન

મોરબી પંથકમાં સેવાકીય કાર્યોની સુવાસ પ્રસરાવતા શ્રી જલારામ મંદિરના આંગણે પંચદશમ્ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી ગુરુવાર તા.૩-૩-૨૦૨૨ ના રોજ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવશે. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, સવારે ૮ કલાકે વૈદિક મહાયજ્ઞ, સવારે ૧૦ કલાકે કાર્યકર્તાઓ તેમજ દાતાઓનો સન્માન સમારોહ, સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી, સાંજે ૭ કલાકે મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે પધારવા ધર્મપ્રેમી જનતાને જલારામ પ્રાર્થના મંદિર ના આગેવાનો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એમ્બ્યુલન્સ સેવા, શબવાહીની સેવા, વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, ફ્રિઝ શબ પેટી, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ ની વ્યવસ્થા, બિનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર, સામૂહીક અસ્થિ વિસર્જન, મેડીકલ સાધનો ની સેવા, મેડીકલ કેમ્પ, બ્લડ ડોનેશન, પદયાત્રીઓ ની સેવા, દર મહીને વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ સહીત ની સેવાઓ વિનામુલ્યે કોઈપણ પ્રકાર ના નાતજાત ના ભેદભાવ વિના સમાજ ને અવિરતપણે પ્રદાન કરવા મા આવી રહી છે. કોરોના ની મહામારી ના સમય મા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એક લાખ થી વધુ ફુડ પેકેટ વિતરણ, એમ્બ્યુલન્સ સેવા, ઓક્સિજન બોટલ, નેબ્યુલાઈઝર, ઓક્સિ મીટર સહીત ની સેવાઓ અવિરતપણે પ્રદાન કરવા મા આવી હતી ત્યારે આગામી વર્ષે પણ દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ તેમજ દર ગુરુવારે મહાપ્રસાદ રાબેતા મુજબ યોજાશે તેમ સંસ્થા એ યાદી મા જણાવ્યુ છે. પ્રસાદ મા સહયોગ આપવા ઈચ્છુક ભક્તજનો એ શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી નો સંપર્ક કરવા પણ જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!