Saturday, April 20, 2024
HomeGujaratમકનસરનાં ગોકુલનગરમાં પતિ સાથે ઝઘડો થતાં પરિણીતાએ મહેંદી પી લીધી

મકનસરનાં ગોકુલનગરમાં પતિ સાથે ઝઘડો થતાં પરિણીતાએ મહેંદી પી લીધી

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મકનસર ગામે ગોકુલનગરમાં રહેતી આકાંક્ષાબેન આકાશભાઇ યાદવ (ઉવ.૨૨) નામની પરિણીતાએ ગત તા.૨૨ ના રોજ માથામાં નાખવાની મહેંદીની પડીકી પાણીમાં નાખી પી જતા તેણીને અસર થવાથી તાત્કાલિક વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.આ બનાવ અંગે વાંકાનેરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જાણ કરતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી હતી.જેમાં પરિણીતાને તેના પતિ આકાશભાઇ ગૌપ્રસાદભાઇ યાદવ સાથે અવાર-નવાર બોલાચાલી ઝગડો થતો હોય તેણી ને લાગી આવતા પોતે માથામાં નાખવાની મહેંદીની પડીકી પાણીમાં નાખી પી ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.પરિણીતાનો લગ્ન ગાળો ચાર વર્ષનો છે.મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી પ્રાથમીક તપાસ પો.સબ.ઇન્સ. ડી.વી.ડાંગરએ કરી આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક ચાલવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!