Monday, May 20, 2024
HomeGujaratશ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી ખાતે સપ્તદશમ્ પાટોત્સવ તથા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન

શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી ખાતે સપ્તદશમ્ પાટોત્સવ તથા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આવતીકાલે તા.૧૪-૦૩-૨૦૨૪ ગુરુવાર ના રોજ સપ્તદશમ્ પાટોત્સવ તથા ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાપ્રસાદનો સૌ કોઈ ભાવિ ભક્તોને લાભ લેવા જાહેર આમંત્રણ અપાયું છે.

- Advertisement -
- Advertisement -

સર્વ જ્ઞાતિય વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી સંચાલિત અયોધ્યાપુરી મેઇન રોડ-મોરબી ખાતે આવેલ
જલારામ પ્રાર્થના મંદિરનાં “સપ્તદશમ્ પાટોત્સવ”નું આવતીકાલે તા.૧૪-૦૩-૨૦૨૪ ગુરુવાર ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે-૬:૦૦ કલાકે પ્રભાત ધુન, સવારે-૯:૦૦ કલાકે પંચકુંડી વૈદીક યજ્ઞ તથા સાંજે-૭:૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જે ત્રિવિધ કાર્યક્રમો ધામધુમથી ઉજવવામાં આવનાર હોય જેથી ભાવિ ભક્તોને સહપરિવાર પધારવા શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!