Sunday, May 19, 2024
HomeGujaratમોરબીના ઘુંટુ ગામે થયેલ વૃદ્ધની હત્યા પ્રકરણમાં શકમંદ મુના મેર સામે નોંધાઈ...

મોરબીના ઘુંટુ ગામે થયેલ વૃદ્ધની હત્યા પ્રકરણમાં શકમંદ મુના મેર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં ગઈકાલે થયેલ ખેડુત વૃદ્ધની હત્યા પ્રકરણમાં શકમંદ મુના મેર સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મૃતકના પુત્રની ફરિયાદને પગલે પોલીસે શકમંદ સુધી પહોંચવા કવાયત આદરી છે.

- Advertisement -
- Advertisement -

આ કેસની વિગત મુજબ ઘુંટુ ગામની સીમમાં ધર્મ ગોલ્ડ પ્લોટીંગની ફોલ્ડીંગ દિવાલ પાછળ આવેલ ખેતરમાં ધરમશીભાઈ પુંજાભાઈ પરેચા નામના વૃદ્ધની હત્યા નિપજાવવમાં આવી હતી. વૃદ્ધ પોતાની વાડીએ ખેતી કામ કરતા હતા. આ દરમિયાન અજાણ્યાં ઈસમોએ વૃદ્ધને મફલર વડે ગળેટુંપો દઈ હત્યાને અંજામ આપ્યો હતો. આ પ્રકરણમાં મૃતક ધરમશીભાઈના પુત્ર અશોકભાઇ પરેચાએ તે જ ગામર રહેતા શકદાર મુન્નાભાઇ સોમાભાઇ મેર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!