Saturday, April 27, 2024
HomeGujaratરાજ્યના પોલીસ વહીવટી વિભાગ દ્વારા કરાઈ ખાતે તાલીમમાં રહેલા 94 પીઆઈ ને...

રાજ્યના પોલીસ વહીવટી વિભાગ દ્વારા કરાઈ ખાતે તાલીમમાં રહેલા 94 પીઆઈ ને પોસ્ટીગ અપાયા: મોરબીમાં ત્રણ નવા પીઆઈની નિમણુંક કરાઈ

મોરબી જીલ્લામાં કેતન જ્યંતીભાઈ માથુકિયા,નયનકુમાર અમરસિંહ વસાવા અને વનરાજસિંહ દિલીપસિંહ વાઘેલાને પીઆઈ તરીકે પોસ્ટીગ અપાયું

- Advertisement -
- Advertisement -

રાજ્ય પોલીસવિભાગના વહીવટી પોલીસ મહાનિરીક્ષક બ્રિજેશ કુમાર ઝા દ્વારા ગુજરાત કરાઈ એકેડમી ખાતે ફરજ બજાવતાં જીપીએસસી માં સીધી ભરતી થી પાસ થઈ પીઆઈ થયેલા 94 પીઆઈ ને પોસ્ટીગ આપવામાં આવ્યા છે જેમાં મોરબીમાં ત્રણ નવા પીઆઈ ની નિમણુંક કરી દેવામાં આવી છે આ નવા પીઆઈ માં કેતન જ્યંતીભાઈ માથુકિયા,નયનકુમાર અમરસિંહ વસાવા અને વનરાજસિંહ દિલીપસિંહ વાઘેલાની નિમણુંક કરાઈ છે ત્યારે ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લામાં હાલ પીઆઈ ની ઘટ છે જેમાં વધુ નવા ત્રણ પીઆઇ આવતા મોરબીમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે વધુ અધિકારીઓ મુકવામાં આવનાર છે જો કે આગામી સમયમાં ગૃહ વિભાગ દ્વારા ખાતાંકીય પ્રમોશન અને લાંબા સમયથી ફરજ બજાવતા પીઆઈ પીએસઆઇ ની બદલીઓ પણ થનાર છે એ પહેલા જ તમામ નવ નિયુક્ત પીઆઈ ને રાજ્યના જુદા જુદા જીલ્લાઓમાં પોસ્ટીગ આપી દેવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!