Saturday, April 27, 2024
HomeGujaratMorbiમોરબીમાં પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થવા પર પ્રતિબંધ

મોરબીમાં પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થવા પર પ્રતિબંધ

૬૫-મોરબી વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીનું તા.૦૩/૧૧/૨૦૨૦ ના રોજ મતદાન થનાર છે. તેમજ મોરબી જિલ્લાના ૬૫-મોરબી વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી સરકારી પોલિટેકનીક બિલ્ડીંગ, ઘુંટુ રોડ, મોરબી ખાતે તા. ૧૦/૧૧/૨૦૨૦ ના રોજ થનાર છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે, મતગણતરી દરમ્યાન કોઈપણ વ્યકિત ખલેલ પહોંચાડે નહી તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ કેતન પી. જોષીએ એક જાહેરનામું બહાર પાડેલ છે.

- Advertisement -
- Advertisement -

આ જાહેરનામાં અનુંસાર કોઈપણ વ્યકિત સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહી તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે. મતગણતરી કેન્દ્રની આસપાસના ૨૦૦ મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યકિતઓ એકત્રીત થઈ શકશે નહી અથવા કોઈ સભા ભરી શકાશે નહી કે કોઈ સરઘસ કાઢી શકશે નહી. કોઈપણ વ્યકિત કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યકિત મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ હોલ સહિતના પ્રીમાઈસીસમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!