Sunday, April 28, 2024
HomeGujaratરાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારી ટંકારાની મુલાકાતે:ઉધોગપતિઓ સાથે કરી બેઠક

રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારી ટંકારાની મુલાકાતે:ઉધોગપતિઓ સાથે કરી બેઠક

લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા કમર કસી છે ત્યારે પક્ષને મજબૂત કરવા ભાજપના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારી ગુજરાતના રાજકોટ ,પોરબંદર તેમજ જામનગરના ત્રણ દિવસીય પ્રવાસમાં આવેલ છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી દિયાકુમારીજી દ્વારા આજરોજ રાજકોટ લોકસભા બેઠકના ટંકારા ખાતે ઉપસ્થિત રહી ભાજપ પક્ષ તથા ઔદ્યોગિક આગેવાનો સાથે મુલાકાત કરી હતી.

- Advertisement -
- Advertisement -

રાજસ્થાન નાયબ મુખ્યમંત્રી દિયાકુમારીજીના આજરોજ રાજકોટ લોકસભા બેઠકના ટંકારા ના પ્રવાસને લઇ તેઓ દ્વારા જણાવ્યું કે લોકસભા ક્લસ્ટર માટેની તેઓને પક્ષ તરફથી જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે રાજકોટ પોરબંદર અને જામનગરના ત્રણ દિવસીય પ્રવાસમાં છે. ત્યારે આ ત્રિ-દિવસીય પ્રવાસમાં પક્ષના તમામ કાર્યકરો સાથે તથા ઔદ્યોગિક આગેવાનો સાથે તેમજ અલગ અલગ સંગઠનોના હોદેદારો સાથે મુલાકાત કરવામાં આવી હતી. ત્યારે મોરબીના ઔધોગિક ક્ષેત્રના સીરામીક ટાઇલ્સ તથા સિમેન્ટ ફેક્ટરીના ઉદ્યોગકારો સાથે મુલાકાત કરીને તેમની સાથે આગામી ચૂંટણીને લઈને વિસ્તૃત ચર્ચા વિચારણા કરતા બહુ સારો અનુભવ પ્રાપ્ત થયો જેથી તમામ ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાનો, પક્ષના કાર્યકરો પદાધિકારીઓ તથા જનપ્રતિનિધિ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!