વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના જલારામ ધામ ખાતે વાંકાનેર ના રાજવી, રાજ્યસભા ના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા પૂ.જલારામ બાપા ના દર્શનાર્થે પધાર્યા હતા.રાજ્યસાંસદ એ પૂ.જલારામબાપા ના ચરણો માં વંદન કરી ધન્યતા અનુભવી હતી.
આ તકે જ્યોતિસિંહ જાડેજા, ગીરીશભાઈ ઘેલાણી, મોરબી મહાનગરપાલીકા ના કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી,હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ,કીશોરભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, મનોજભાઈ પંડીત, મનિષભાઈ હીરાણી, વિનુભાઈ ચગ, પરિમલભાઈ ઠક્કર, પપ્પુભાઈ ચંડીભમર, હસુભાઈ પુજારા, જીતુભાઈ કોટક, ચિરાગભાઈ રાચ્છ, વિશાલભાઈ ગણાત્રા, જયંતભાઈ રાઘુરા, પ્રવિણભાઈ કારીયા, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, રાજુભાઈ રવેશિયા, નિખિલભાઈ છગાણી સહીત ના અગ્રણીઓએ રાજ્યસભા ના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા સાહેબ નુ સ્વાગત તેમજ અભિવાદન કર્યુ હતું.






