Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવપીરનો પાટ, ભજન અને ભોજનનો કાર્યક્રમ યોજાયો

મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવપીરનો પાટ, ભજન અને ભોજનનો કાર્યક્રમ યોજાયો

ગઈકાલે અષાઢી બીજના પાવન દિવસે મોરબીના રામધન આશ્રમ ખાતે રામદેવપીરનો પાટ, ભજન અને ભોજનનો કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો હતો.

- Advertisement -
- Advertisement -

મુકેશ ભગતના જણાવ્યા અનુસાર, અષાઢી બીજના દિવસે રામધન આશ્રમ ખાતે રામદેવપીરનો પાટ, ભજન અને ભોજનની લહેર લાગી હતી. અનેક લોકોએ દર્શન પ્રસાદનો લાભ લીધો હતો. મહંત ભાવેશ્વરી માંના સાનિધ્યમાં સવારે યજ્ઞ, નેજા ઉત્સવ, સાંજે પ્રસાદ, પાટ તેમજ ભજનનો બીજ મહોત્સવ ઉજવાયો હતો. રત્નેશ્વરીબેનનાં માર્ગદર્શન હેઠળ આશ્રમના સેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે જયંતીભાઈ, ચુનીભાઈ, ત્રિભોવનભાઈ, કેશુભાઈ, દેવકરણભાઈ, દિલીપભાઈ, ગીરીશભાઈ ઘેલાણી, અજયભાઈ સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!