Friday, April 26, 2024
HomeGujaratવનરક્ષક વર્ગ-૩ની ૩૩૪ જગ્યાઓ માટે ભરતી કરાશે : વન મંત્રી કિરીટસિંહ રાણા

વનરક્ષક વર્ગ-૩ની ૩૩૪ જગ્યાઓ માટે ભરતી કરાશે : વન મંત્રી કિરીટસિંહ રાણા

વર્ષ-૨૦૧૮માં અનિવાર્ય સંજોગોને કારણે મોકુફ રહેલી વન વિભાગ હસ્તકની વનરક્ષક વર્ગ-૩ની કુલ ૩૩૪ જગ્યાઓ આગામી ટૂંક સમયમાં સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

રાજ્યના યુવાઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય કરતા વન મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, વનરક્ષક વર્ગ-૩ની કુલ-૩૩૪ સીધી ભરતીની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા અનિવાર્ય કારણોસર મોકુફ રાખવામાં આવી હતી. આ મોકુફ રહેલ ભરતી પ્રક્રિયા આગામી ટૂંક સમયમાં હાથ ધરવા નિર્ણય કર્યો છે. આગામી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર આ ભરતી પ્રક્રિયામાં અગાઉની વર્ષ ૨૦૧૮ની ભરતી પ્રક્રિયા દરમિયાન જે અરજદારોની અરજીઓ માન્ય જાહેર કરવામાં આવી હતી તે તમામ અરજદારોની વર્તમાન વયને ધ્યાનમાં લીધા વિના માન્ય ગણવામાં આવશે. અગાઉની વર્ષ ૨૦૧૮ની ભરતી પ્રક્રિયામાં જે અરજદારોએ ”સામાન્ય કેટેગરી”ના ઉમેદવાર તરીકે અરજી કરેલ હોય તેઓ જો “આર્થિક નબળાં વર્ગ” કેટેગરીનો લાભ મેળવવા માંગતા હોય તો તેઓને “ ઓનલાઇન જોબ એપ્લીકેશન સિસ્ટમ” (OJAS) ઉપર આ વિગતો ભરવા માટે ૧૦ (દશ) દિવસનો સમય આપવામાં આવનાર છે. તો સામાન્ય કેટેગરીના જે ઉમેદવારો આર્થિક નબળા વર્ગ કેટેગરીનો લાભ મેળવવા માંગતા હોય તેઓએ તા.૦૧-૦૨-૨૦૨ર ની તારીખે માન્ય હોય તેવા સક્ષમ અધિકારીના ” આર્થિક નબળા વર્ગ પ્રમાણપત્રની વિગતો ઓનલાઇન જોબ એપ્લીકેશન સિસ્ટમ” (OJAS) ઉપર અપલોડ કરવાની રહેશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર આ ભરતી પ્રક્રિયાને લગતી કોઇપણ અધ્યતન માહિતી કે અન્ય વિગતો માટે તેઓએ નિયમિતપણે OJAS પોર્ટલની મુલાકાત લેવાની રહેશે. વર્ષ ૨૦૧૮માં હાથ ધરેલ અને અનિવાર્ય કારણોસર મોકુફ રહેલ ભરતી પ્રક્રિયા જ હાથ ધરવામાં આવનાર હોઇ આ ભરતી પ્રક્રિયામાં કોઈ નવી અરજી કરવાની મંજૂરી આપવામાં આવનાર નથી. આ ૩૩૪ જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવેસરથી ખાલી પડેલ જગ્યા ભરવા અંગેની સીધી ભરતીની તદ્દન નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!