Thursday, April 18, 2024
HomeGujaratમોરબી ના ઐતીહાસીક ઝૂલતા પુલ ના રીનોવેશન નું કામ પૂરજોશમાં

મોરબી ના ઐતીહાસીક ઝૂલતા પુલ ના રીનોવેશન નું કામ પૂરજોશમાં

સતત દસ વર્ષ સુધી ઝૂલતા પુલ ની સફર નો નિરંતર આનંદ માણ્યા બાદ ઝૂલતા પુલ માં રીનોવેશન ની જરુરત હોઈ ઝૂલતા પુલને ખોલી ને ધળમૂળ થી રીનોવેશન ની કામગીરી અજંતા- ઓરેવા ગ્રુપ દ્વારા શરૂ થઇ ગયેલ છે. મોરબીના લોકો ઐતિહાસિક અને અલોકીક ઝૂલતા પુલનો આનંદ નિરંતર અને લાંબા ગાળા સુધી માણી શકે તે માટે જીન્દાલ એલ્યુમિનિયમ તેમજ હિન્ડાલ્કો (બિરલા ગ્રુપ) જેવી કંપની નો સંપર્ક કરીને તેમની પાસે ખાસ સ્પેશીયલ ગ્રેડનુ મટીરીયલ તૈયાર કરાવાઈ રહયુ છે. ઝૂલતાપૂલને વધુ મજબૂત બનાવવા ઓરેવા ગ્રુપ અને ફેબ્રીકેટરની ટીમ દ્વારા આશરે એક મહિનો R & D કરવામાં આવ્યું. ઝુલતાપુલના રીનોવેશન નો અંદાજીત ખર્ચ આશરે બે કરોડ રૂપિયા આવશે. અલગ-અલગ મટિરિયલના પ્રાપ્તિ ની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ઝૂલતા પુલને ખોલી ને રીનોવેશન કરવાની કામગીરી આશરે ૪ થી ૫ માસ ચાલશે અને ત્યાર બાદ ઐતીહાસીક ઝૂલતા પુલને જનતા માટે ફરી ખુલ્લો મુકાશે.

- Advertisement -
- Advertisement -

અગાઉ પણ ઓરેવા ગ્રુપના સુંદર સંચાલન થકી ઝુલતાે પુલ સતત ૧૦ વર્ષ સુધી નિરંતર ચાલુ રહ્યો હતો અને હાલ થઈ રહેલ રીનોવેશન પણ ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય તે માટે ઓરેવા ગ્રુપ પ્રયત્નશીલ છે અને ખુબ જ ટુંકા સમય બાદ મોરબીની જનતા તેમજ બહારગામથી આવતા સહેલાણીઓ ઐતિહાસિક અને અલૌકિક ઝૂલતા પુલની અનેરી સફર નિરંતર માણી શકશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!