Friday, April 19, 2024
HomeGujaratવરસાદ ખેંચાતા નર્મદાની બ્રાન્ચ કેનાલનું પાણી આપવા ધારાસભ્ય દ્વારા રજૂઆત

વરસાદ ખેંચાતા નર્મદાની બ્રાન્ચ કેનાલનું પાણી આપવા ધારાસભ્ય દ્વારા રજૂઆત

વરસાદ ખેંચાતા નર્મદાની બ્રાન્ચ કેનાલનું પાણી ખેડૂતોને સીંચાઇનું આપવા ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

- Advertisement -
- Advertisement -

મોરબી-માળીયા(મીં) વિસ્તારમાં ચાલુ વર્ષે વાવણી લાયક વરસાદ અમુક જગ્યાએ ઓછો હોવા છતા ખેડૂતોએ વાવણી કરી દીધેલ છે અને પાક પણ ઊગી નીકળ્યો છે. કમનશીબે હવે વરસાદ ખેંચાતા આ ઊભો મોલ મુરજાય જાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. ત્યારે નર્મદાની મોરબી-માળીયા(મીં) અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ દ્વારા ખેડૂતોને સીંચાઇનું પાણી આપવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરી છે. આ અંગે સરદાર સરોવર નર્મદા નિગમના કેનાલના ડિરેકટર સાથે ચર્ચા કરીને સિંચાઇ માટે ૩૦ જૂન સુધી પાણી આપવાનો નિયમ હોય છે. તેમ છતા નર્મદાની આ બ્રાન્ચ કેનાલો દ્વારા ઊભા પાકને બચાવવા ખેડૂતોને પાણી આપવું ખૂબ જરૂરી હોય તાત્કાલિક પાણી છોડીને ઊભો મોલ બચાવી લેવામાં આવે તેવી વધુમાં ખાસ તાકીદ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!