Friday, March 29, 2024
HomeGujaratમોરબી મચ્છુ હોનારતમાં મૃત્યુ પામેલ દિવંગતોની આત્માને શ્રદ્ધા સુમન અર્પણ

મોરબી મચ્છુ હોનારતમાં મૃત્યુ પામેલ દિવંગતોની આત્માને શ્રદ્ધા સુમન અર્પણ

મોરબીમા આજે પણ જેની સ્મૃતિઓ કાળજા કંપાવી દે છે તે મચ્છુ જળ હોનારતનાં આજે ૪૨ વર્ષ પૂર્ણ થઈ ગયા છે ૧૧ ઓગસ્ટ ૧૯૭૯માં મોરબીના મચ્છુ ડેમ તૂટતા મોરબીમાં ભયાનક જળ પ્રલય સર્જાયું હતું અને આ મોતના તાંડવથી પળ ભરમાં તો શહેર સ્મશાનમાં ફેરવાઈ ગયું હતું અનેક પરિવારના સ્વજનો મોતને ભેટયા હતા. મોરબીના આ જળ પ્રલયની વાત કરતા લોકોની આંખોમાંથી હજુ આંસુ રોકાઈ શકતા નથી.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આજે ૪૨મી વરસી નિમિત્તે નગરપાલિકા દ્વારા ૨૧ સાયરન વગાડી દિવંગતોને શ્રદ્ધા સુમન અપર્ણ કરવામાં આવ્યા હતા. મણીમંદિર નજીક દિવંગતોની સ્મૃતિમાં બનાવેલ સ્મૃતિસ્તંભ ખાતે દિવંગતોને પુષ્પાજલી અર્પણ કરવામાં આવી હતી. દર વર્ષે મૌન રેલી યોજી દિવંગતોને શ્રદ્ધા સુમન અપર્ણ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં લઈને મૌન રેલી રદ કરવામાં આવી હતી. આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં મોરબી જીલ્લા કલેકટર જે.બી.પટેલ, એસપી એસ.આર.ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઇ, ડીડીઓ પરાગ ભગદેવ, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર અને ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા સહિતના અગ્રણીઓ તેમજ દિવંગતોના સ્વજનો ઉપસ્થિત રહીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!