Thursday, March 28, 2024
HomeGujaratશ્રી રાજપૂત કરણી સેના મોરબી દ્વારા પત્રકાર એસોસિયેશન ના નવનિયુક્ત હોદેદારો નો...

શ્રી રાજપૂત કરણી સેના મોરબી દ્વારા પત્રકાર એસોસિયેશન ના નવનિયુક્ત હોદેદારો નો સન્માન સમારોહ યોજાયો

આજ રોજ મોરબી ના એ.કે. કોમ્યુનિટી હોલ,ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે શ્રી રાજપુત કરણી સેના મોરબી જિલ્લા દ્વારા પત્રકાર એસોસિયેશન મોરબી ના નવનિયુક્ત હોદેદારો ના સન્માન સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પત્રકાર એસોસિયેશન ના પ્રમુખ અતુલભાઈ જોષી ને  શ્રી રાજપૂત કરણી સેના દ્વારા તલવાર ની ભેટ આપી ને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

પત્રકાર એસોસિએશન મોરબી ના ઉપપ્રમુખ મિલનભાઇ નાનક ,મંત્રી રવિભાઈ ભડાણીયા,સહમંત્રી ચંદ્રેશભાઈ ઓધવીયા, ખજાનચી જીજ્ઞેશભાઈ ભટ્ટ તથા અન્ય સભ્યો,પ્રવીણભાઈ વ્યાસ , રાજુભાઇ આંબલિયા,હિમાંશુભાઈ ભટ્ટ,રવિભાઈ મોટવાણી ,સુરેશભાઈ ગોસ્વામી સાહિતનાઓ નું મહારાણા પ્રતાપ અને શિવાજી મહારાજ ની તસ્વીર ભેટ કરી ને અનેરું સન્માન કરવામાં આવ્યું હતું .

આ તકે શ્રી રાજપુત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા ,મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, માળીયા તાલુકા પ્રમુખ રવીરાજસિંહ જાડેજા અને શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા અને મોરબી શહેર ની ટીમ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત હોદેદારો ને શુભકામનાઓ પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!