Saturday, April 20, 2024
HomeGujaratફળ અને શાકભાજીના નાના વેચાણકારો વિના મુલ્યે છત્રી/શેડ કવર યોજનાનો લાભ લેવા...

ફળ અને શાકભાજીના નાના વેચાણકારો વિના મુલ્યે છત્રી/શેડ કવર યોજનાનો લાભ લેવા અનુરોધ

૧૫ જુલાઇ સુધી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીને અરજી કરવાની રહેશે

- Advertisement -
- Advertisement -

રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા ફળ અને શાકભાજીના નાના વેચાણકારો લારીવાળા માટે વિના મુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા માટેની યોજના ચાલુ વર્ષે અમલમાં છે. આ યોજના હેઠળ પુખ્ત વયની વ્યક્તિને (આધારકાર્ડ દિઠ એક વ્યક્તિને) વિના મુલ્યે છત્રી/શેડ કવરનો લાભ મળવાપાત્ર થશે.

આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે ખેડૂત પોર્ટલ તા.૧૫/૦૭/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરી તેની નકલ તથા જરૂરી સાધનીક પુરાવા જેવાકે રેશન કાર્ડની નકલ, આધારકાર્ડની નકલ તથા ગ્રામ્ય વિસ્તાર માટે સંબંધીત ગ્રામ સેવકનો ફળ/શાકભાજી/ ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો તથા શહેરી વિસ્તાર માટે ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેનું ઓળખપત્ર/ દાખલો અરજી સાથે જોડવાનો રહેશે.

લાભાર્થીઓએ અરજી રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં.- ૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે મોકલી આપવાની રહેશે તેમ નાયબ બાગાયત નિયામક મોરબીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!