Saturday, April 27, 2024
HomeGujaratતસ્કરોનો તરખાટ : મોરબીનાં નીચી માંડલ ગામે ત્રણ મકાનોમાં ઘરફોડ ચોરી

તસ્કરોનો તરખાટ : મોરબીનાં નીચી માંડલ ગામે ત્રણ મકાનોમાં ઘરફોડ ચોરી

મોરબીનાં નીચી માંડ ગામે તસ્કરોએ ત્રણ મકાનોનાં તાળા તોડી અંદાજે ૫.૯૦ લાખ રોકડા તથા ૫ તોલા સોનાની કરી ચોરી

- Advertisement -
- Advertisement -

ગત રાત્રીનાં મોરબીનાં નીચી માંડલ ગામે તસ્કરો ત્રાટક્યા હતાં અને ત્રણ મકાનોનાં તાળા તોડી લાખોની મત્તાની ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો છે. ચોરીનાં આ બનાવની મળતી માહિતી મુજબ ગત રાત્રીનાં નીચી માંડલ ગામે ૩ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યાં હતાં. જેમાં ધીરુભાઈ કુંડારિયાનું ઘર બંધ હોય તેઓ મોરબી આવ્યા હોય જેના ઘરમાંથી ૨૦ હજારની રોકડ, ઉપરાંત ગામમાં રહેતા પ્રાણજીવનભાઈ અઘારાના પરિવારના સભ્યો ફળિયામાં સુતા હોય ત્યારે તેના ઘરમાંથી ૭૦-૭૫ હજારની રોકડ રકમ તસ્કરો ચોરી ગયા હતા તે ઉપરાંત ગામમાં આવેલ ત્રીજા મકાનને નિશાન બનાવ્યું હતું કાન્તિલાલ કુણપરા પણ પરિવાર સાથે ફળિયામાં સુતા હોય ત્યારે તસ્કરોએ તેના ઘરમાંથી ૫ લાખની રોકડ રકમ અને ૫ તોલા સોનાના દાગીના ચોરી ગયા છે અને એક જ રાત્રીમાં ત્રણ મકાનમાંથી અંદાજે ૫.૯૦ લાખની રોકડ ઉપરાંત ૫ તોલા સોનાના દાગીના તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા. બનાવની જાણ થતા તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી જોકે બનાવ અંગે હજુ કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!