Thursday, March 28, 2024
HomeGujaratમોરબીની ઓમશાંતી પાર્ક સોસાયટીમા તસ્કરો ત્રાટકયા : મકાનના તાળા તોડી 21 હજારની...

મોરબીની ઓમશાંતી પાર્ક સોસાયટીમા તસ્કરો ત્રાટકયા : મકાનના તાળા તોડી 21 હજારની રકમ ઉસેડી ગયા

મોરબી પંથકમાં શિયાળાની કડકડતી ઠંડીનો લાભ લઇ તસ્કરો સક્રિય બન્યા છે ત્યારે ગઈકાલે શહેરની ઓમશાંતી પાર્ક સોસાયટીમા આવેલ રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સહિત 21 હજારની ચોરી કરી લઈ જતા મકાન માલિકે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબીના વાવડી રોડ પર આવેલ કબીર આશ્રમ પાસેની ઓમશાંતી પાર્ક સોસાયટીમાં આવેલ જીતેન્દ્રભાઇ આયદાનભાઇ ગજીયાના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં. મકાનના દરવાજાનુ તાળુ તોડી પ્રવેશેલા કોઇ અજાણ્યા ચોરે મકાનમાં પ્રવેશ કરી કબાટની તિજોરી ખોલી રોકડ રૂ.૨૦,૦૦૦તથા ચાંદીની કડલી જોડ-૧ કિ.રૂ.૧,૫૦૦મળી કુલ રૂ.૨૧,૫૦૦ની ચોરી કરી લઇ ગયા હતા આ અંગે જીતેન્દ્રભાઇ આયદાનભાઇ ગજીયાએ મોરબી સીટી એ ડિવીઝન મથકમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસવા સહિતની દિશામાં કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!