Saturday, April 27, 2024
HomeGujaratપ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું કડક પગલું : વાંકાનેરના 14 બળવાખોર સભ્યો ભાજપમાંથી...

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું કડક પગલું : વાંકાનેરના 14 બળવાખોર સભ્યો ભાજપમાંથી બરતરફ

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકામાં ભાજપના મેન્ડેડનો અનાદર કરી બળવાખોર સભ્યોએ પ્રમુખ – ઉપપ્રમુખ તરીકે પોતાના સભ્યો બેસાડી દેતા આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે વાંકાનેરમાં ચૂંટાયેલા 24 પૈકી 14 સભ્યોને પક્ષમાંથી હાંકી કાઢવા બરતરફી હુકમ કરતા વાંકાનેર ભાજપમાં સોપો પડી ગયો છે.

- Advertisement -
- Advertisement -

પ્રદેશ ભાજપ કાર્યાલયના મીડિયા ડો.યજ્ઞેશ દવેના જણાવ્યા મુજબ મોરબી જીલ્લાની વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સૂચનાથી તાત્કાલિક અસરથી મીરાબેન હસમુખભાઈ ભટી, દેવુબેન શામજીભાઈ પલાણી, કાંતિભાઈ રાયમલભાઈ કુંઢીયા, કોકીલાબેન કિર્તીકુમાર જોષી, ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા, હેમાબેન ધર્મપભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ ભોગીલાલ શાહ, રાજ કેતનભાઈ સોમાણી, જશુબેન રમેશભાઈ જાદવ, જયશ્રીબેન જયસુખભાઈ સેજપાલ, સુનીલભાઈ મનસુખલાલ મહેતા, શૈલેષભાઈ જયંતિલાલ દલસાણીયા, માલતીબેન વિનોદરાય ગોહેલ, ભાવનાબેન કનૈયાલાલ પાટડીયાને પક્ષમાંથી બરતરફ કરવા આદેશ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!