Sunday, May 5, 2024
HomeGujaratમોરબી શહેર તથા જીલ્લામાં કર્ફ્યૂ તથા ગાઈડલાઈનનો ભંગ કરનારા લોકો સામે પોલીસની...

મોરબી શહેર તથા જીલ્લામાં કર્ફ્યૂ તથા ગાઈડલાઈનનો ભંગ કરનારા લોકો સામે પોલીસની કડક કાર્યવાહી

મોરબી શહેર તથા જીલ્લામાં કર્ફ્યૂ તથા ગાઈડલાઈનનો ભંગ કરનારા ૩૫ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં ગઈકાલે શુક્રવારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસ્ક વિના ફરતા ૮, કર્ફ્યૂમાં દુકાન ખુલ્લી રાખવા બદલ ૪, કર્ફ્યૂ દરમ્યાન જાહેરમાર્ગો ઉપર બિનજરૂરી આંટાફેરા કરવા બદલ ૫ લોકો સામે તથા મોરબી સીટી બી ડીવીઝન પોલીસે કરફ્યૂ દરમ્યાન દુકાન ખુલ્લી રાખવા બદલ ૨ વેપારીઓ સામે તથા સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ ૩ લોકો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
- Advertisement -

જ્યારે વાંકાનેર સીટી પોલીસે કર્ફ્યૂમાં દુકાન ખુલ્લી રાખવા બદલ ૧ માસ્ક વગર બહાર નિકળેલા અથવા દુકાને બેસેલા ૨ નાગરિકો સામે તથા વાંકાનેર તાલુકા પોલીસે સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ ૩ લોકો સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. ટંકારા પોલીસે સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ ૩,માળીયા(મી.) પોલીસે માસ્ક વિના તથા સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ ૨ સામે, હળવદ પોલીસે સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ ૨ લોકો સામે કેસ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. આમ શુક્રવારે દિવસ-રાત દરમ્યાન કુલ ૩૫ લોકો સામે આઈપીસી કલમ ૧૮૮ , ૨૬૯, ૨૭૦, તથા એપિડેમીક ડીસીઝ એકટની કલમ ૩ તથા ૩(૧) તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ ૫૧(બી) હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!