Sunday, May 5, 2024
HomeGujaratસુપરસીડ થયેલ વાંકાનેર નગરપાલિકાના વહિવટદારની નિમણુંક કરવામાં આવી

સુપરસીડ થયેલ વાંકાનેર નગરપાલિકાના વહિવટદારની નિમણુંક કરવામાં આવી

વાંકાનેર નગરપાલિકા અનેક વિવાદો અને અનેક કામો તેમજ ગ્રાન્ટ નો ઉપયોગ ન કરવા જેવા અનેક કારણો થી સુપરસિડ જાહેર કરવામાં આવી હતી અને નગરપાલિકા પ્રમુખ ની ચેમ્બર સહિત ઓફીસ ને સિલ કરવામાં આવી હતી અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા ઠરાવ બુક અને સાહિત્ય દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

જેથી નગરપાલિકા નું વિસર્જન થયા બાદ હવે વાંકાનેર નગરપાલિકામાં વહીવટદાર તરીકે મામલતદાર યુ.વી કાનાણીની નિમણુંક કરવામાં આવી છે તેઓએ ચાર્જ પણ સંભાળી લેતા ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા સિલ કરવામાં આવેલ ચેમ્બરોની ચાવીઓ તેમજ ઝપ્ત કરેલ ઠરાવ બુક સહિતના સાહિત્ય નવા નિમાયેલ વહીવટદાર યુ.વી.કાનાણીને સુપરત કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!