Thursday, April 25, 2024
HomeGujaratટંકારા : પ્રભુનગરમાં યુવાનને "તું મારા વિરુદ્ધ કેમ બધે વાતો કરતો ફરે...

ટંકારા : પ્રભુનગરમાં યુવાનને “તું મારા વિરુદ્ધ કેમ બધે વાતો કરતો ફરે છે” કહી માર મારનારા શખ્સની ધરપકડ

બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મુજબ ટંકારા તાલુકાના મિતાણા ગામ પાસે આવેલ પ્રભુનગરમાં રહેતા અને ખેતીકામ કરતા દિલીપભાઈ રવજીભાઈ ભાગીયા જાતે પટેલ (ઉં.વ.૩૬)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસો પહેલા જયદિપ બાબુભાઈ બસીયા (રહે. પ્રભુનગર) વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપીએ “તું મારા વિરુદ્ધમાં બધે વાતો કરતો ફરે છે” તેમ કહીને ગાળો આપીને લાફા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ બળીકા વડે માર માર્યો હતો જેથી ટંકારા તાલુકા પોલીસે દિલીપભાઇની ફરિયાદના આધારે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી અને હાલમાં જયદિપ બાબુભાઈ બસીયા (રહે. પ્રભુનગર) વાળાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!