Friday, April 26, 2024
HomeGujaratટંકારા : નવ નિર્માણ થનાર બસ સ્ટેન્ડ ને આર્યસમાજ ના સ્થાપક દયાનંદ...

ટંકારા : નવ નિર્માણ થનાર બસ સ્ટેન્ડ ને આર્યસમાજ ના સ્થાપક દયાનંદ સરસ્વતી નુ નામ આપવા રજુઆત

સોશ્યલ મિડિયા પર ટ્રેન્ડ ચાલ્યો ટંકારા ને વિશ્વ ફલક પર રોશન કરનાર ઋષિ નુ નામ મળે એ જરૂરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા ને નવ વર્ષ ના પ્રથમ દિવસે બે દશકા થી માંગણી કરતા બસ સ્ટેન્ડ નુ ખાતમુહૂર્ત થયા બાદ હવે એ નવનિર્માણ પામનાર બસ સ્ટેન્ડ ને ટંકારા ની ખ્યાતિ દેશ વિદેશમાં અને રાજકીય નેતા થી લઈ નાના મોટા સમુહ મા પ્રસિદ્ધ છે એવા વૈચારિક ક્રાંતિ ના જનક, મહાન સમાજ સુધારક અને આર્ય સમાજ ના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી ની ઓળખ આપી નામકરણ કરવા જુદા જુદા સંગઠનો અને સમુહ દ્વારા માંગણી કરવામાં આવી છે

ટંકારા ભાજપ ના પુર્વ યુવા મહામંત્રી ભાવેશ કાનાણી એ મુખ્ય મંત્રી વિજયભાઈ ને લેખિત મા આ રજૂઆત કરી છે તો ગ્રાહક સુરક્ષા ના પ્રમુખ ગૌતમ વામજા ગપી પાટીદાર સહિત ના નગરજનો એ પણ સોસયલ મિડીયા ઉપર આ વાત મુકી માંગ દહોરાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઝાદી પછી નુ બસ સ્ટેન્ડ ઋષિ ની જ્ઞાાન મંદિર ની અડોઅડ હતુ અને ટંકારા મા દેશ વિદેશ થી અનેક આર્યસમાજી ટંકારા પધારતા હોય છે ત્યારે તેના ગુરૂ ના નામકરણ થી એ પણ ગૌરવ ની લાગણી અનુભવે એમા કોઈ બે મત નથી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!