Wednesday, April 24, 2024
HomeGujaratટંકારા : નદીમાં નાહવા ગયેલા ત્રણનું ડુબી જતાં મોત, એકનો બચાવ

ટંકારા : નદીમાં નાહવા ગયેલા ત્રણનું ડુબી જતાં મોત, એકનો બચાવ

ટંકારા નજીક નદીમાં નાહવા ગયેલા ચાર મિત્રો નદિમાં ડૂબ્યાં હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં ત્રણ મિત્રોનું ડુબી જતાં મોત નિપજ્યું હતું તો એકનો બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ ટંકારા નજીક ભીમનાથ મહાદેવ મંદિર પાસે નદીમાં ચાર મિત્રો નાહવા ગયા હોય દરમ્યાન પાણીમાં ડૂબી જતાં દિપક દિનેશભાઈ હડિયલ (ઉં.વ.૧૯, રહે ક્રિષ્ના પાર્ક ૧), સ્વયમ જેઠાભાઈ ભાનુશાલી (ઉં.વ.૧૭, રહે ક્રિષ્ના પાર્ક ૧) તથા રિશી ભાવેશભાઈ દોશી (ઉં.વ.૧૭ રહે. પુનીતનગર) વાળાઓનું મોત નિપજ્યું હતું જ્યારે એકનો બચાવ થયો હતો. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને ૧૦૮ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ત્રણેયનાં મૃતદેહ નદીમાંથી બહાર કાઢી મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતાં.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!