Sunday, April 28, 2024
HomeGujaratમોરબીના બાયપાસ નજીક આવેલ જર્જરિત અને જોખમી થઈ ગયેલ સમય ગેટ ઉતારી...

મોરબીના બાયપાસ નજીક આવેલ જર્જરિત અને જોખમી થઈ ગયેલ સમય ગેટ ઉતારી લેવાયો

ઝુલતા પુલની દુર્ઘટના પછી તંત્ર અચાનક સજાગ થયું હોય તેવું લાગી રહ્યું છે. અને માર્ગ મકાન વિભાગે શનાળા રોડ પર આવેલ સમય ગેટને ઉતારાવિ લેવાયું છે. આ ગેઈટ જર્જરિત થયો હોય અને ગંભીર અકસ્માત સર્જવાની શક્યતા હોવાથી માર્ગ મકાન વિભાગે કામગીરી કરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર, સમય નામની કંપનીએ વર્ષ 2005માં શનાળા રોડ પર પ્રવેશદ્વાર સમાન સમયગેટ સ્થાપિત કર્યો હતો. સમય જતા ગેટ જર્જરિત બન્યો હતો અને ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જવાની શક્યતા જણાતા મોરબીનું માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યું હતું અને ક્રેઈન દ્વારા સાવધાની પુર્વક આ ગેઈટ તેને ઉતરાવી લીધો હતો. માત્ર 18 વર્ષની અંદર જ સમય ગેટના પાયામાં કાટ અને સડો લાગી ગયો જેના કારણે બેનમુન પ્રવેશદ્વાર જર્જરિત અવસ્થામાં જોવા મળે છે. જોકે સમગ્ર મામલે મોરબી માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ અધિકારી હિતેશભાઈ આદ્રોજાએ મીડિયાને જણાવ્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ દુર્ઘટના બને તેની તકેદારીના ભાગ રૂપે જર્જરિત થયેલા પ્રવેશ દ્વારને ગત મોડી રાત્રે ઉતારી લેવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!