Saturday, July 27, 2024
HomeGujaratમંદિરમા અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ઈસમોએ વૃદ્ધના ઘર પર કર્યો પથ્થરમારો

મંદિરમા અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ઈસમોએ વૃદ્ધના ઘર પર કર્યો પથ્થરમારો

મોરબીમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. તેવામાં મોરબીમાં અમુક ઈસમો અપશબ્દો ભાંડતા હતા. જેઓને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા યુવકોએ વૃદ્ધને ગાળો બોલી તેના ઘર પર પથ્થર મારો કર્યો હતો અને તેની કારના કાચ ફોડી નાખ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં વેજીટેબલ રોડ,ભાગ્યલક્ષમી સોસાયટીમાં રહેતા વનરાજસિંહ ભુપતસિંહ ઝાલા નામના વૃધ્ધે અગાઉ આરોપીઓના છોકરા મંદિરમા જેમતેમ બોલતા હોય જેથી ત્યા ગાળો નહી બોલવા અને જતા રહેવા જણાવેલ હોય જે બાબતનો ખાર રાખી મોરબીના પંચમુખી હનુમાન મંદીરની બાજુમાં વેજીટેબલ રોડ પર રહેતા ચિરાગભાઇ જેસંગભાઇ ચૌહાણ, ઉમા ટાઉનશીપ સામે રહેતા જુસબભાઇ હબીબભાઇ જામ, વલ્લીમામદ હબીબભાઇ જામ, મયુરપેલેસ પાસે રહેતા મયુરસિંહ વિક્રમસિંહ જાડેજા, મોરબીના ધરમપુરમાં રહેતા જગદીશભાઇ ગોગાભાઇ ઠાકોર, મોરબીના ભીમસર વેજીટેબલ રોડ પર રહેતા પ્રભુભાઇ બાબુભાઇ સુરેલા અને મોરબીના પંચમુખી હનુમાન મંદીરની બાજુમાં વેજીટેબલ રોડ પર રહેતા મેરૂભાઇ જેસંગભાઇ ચૌહાણ નામના આરોપીઓએ એક સંપ કરી ગેર કાયદેસર મંડળી રચી ફરિયાદીના ઘરે જઇ જેમતેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીની સેલેરીયો ગાડીના કાચ તોડી નુકશાન કરી તથા મકાનના મકાનની બારીઓમા છુટા પથ્થરના ઘા કરી નુકશાની કરતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!