Friday, March 29, 2024
HomeGujaratકોરોનાના વધતા જતા સંક્રમણને પગલે મોરબી માર્કેટિંગ યાર્ડ આગામી ૧૭મી એપ્રિલ સુધી...

કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે મોરબી માર્કેટિંગ યાર્ડ આગામી ૧૭મી એપ્રિલ સુધી સંપૂર્ણ બંધ રહેશે

મોરબી જીલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે કોરોના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા હોય વેપારીઓ એસો. દ્વારા શનિ- રવિ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવાની સાથે સોમવારથી બપોરે ૨ વાગ્યા બાદ બંધ રાખી આંશિક લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં પણ ઘઉં ચણાની આવક બંધ કર્યા બાદ વારાફરતે આવક શરૂ કરવાની તૈયારી ચાલી રહી હતી. પણ કોરોનાનું સંક્રમણ વધતા યાર્ડ દ્વારા આગામી ૧૭ એપ્રિલ સુધી સંપૂર્ણ કામકાજ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે એજન્ટો, વેપારીઓ અને ખેડૂતોને નોંધ લેવા ઇન્ચાર્જ સેક્રેટરી કાંતિભાઈ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!