Sunday, May 19, 2024
HomeGujaratપૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને પાટીદાર સમાજના ઘડિયા લગ્ન યોજાયા

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને પાટીદાર સમાજના ઘડિયા લગ્ન યોજાયા

 મોરબી: મોરબી પાટીદાર સમાજની ઘડિયા લગ્નની પ્રેરણાદાયી પહેલ અંતર્ગત ગઈકાલે મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસ સ્થાને પાટીદાર સમાજના નવયુગલે પ્રભુતામાં પગલાં પાડયા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબીથી શરૂ થયેલ ઘડિયા લગ્નની પરંપરા યથાવત રાખવા મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસ સ્થાને સામાજિક સમરસતાના સંદેશ સાથે ઘડિયા લગ્ન માટે કાયમી મંડપ રોપવામાં આવ્યો છે જેમાં ગઈકાલે પાટીદાર સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા હતા. જેમાં ચિ.ક્રિષ્નાબેન ભુપતભાઇ રામજીભાઈ પરમાર શુભલગ્ન ચિ. પ્રિન્સ અંબારામ પોપટ ભાઈ સવસાની સાથે યોજાયા હતા.

આ પ્રસંગેબી ટંકાર તાલુકા ભાજપ મહિલા મોરચા ના પ્રમુખ શ્રી ભાવનાબેન અરવિંદભાઈ કૈલા ટંકાર તાલુકા ભાજપમહિલા મોરચા ના સભ્ય શ્રી કવિતાબેન દવે મોરબી જિલ્લા ભાજપ પુર્વ મંત્રી શ્રી ભણજીભાઈ તેજભાઈ વરસડા મોરબી શહેર ભાજપ સોશિયલ મીડિયા સેલ ના કન્વીનર શ્રી ભરત એલ બારોટતેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને નવયુગલને નમો ઘડિયાળ આપી આશિર્વાદ આપ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!