Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસસ્થાને દલિત સમાજના ઘડિયા લગ્ન યોજાયા

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસસ્થાને દલિત સમાજના ઘડિયા લગ્ન યોજાયા

ઘડિયા લગ્નને પ્રોત્સાહન આપવાની મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની જહેમત રંગ લાવી રહી છે ત્યારે આજે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈના નિવાસસ્થાને દલિત સમાજના ઘડિયા લગ્ન યોજાયા હતા. જેમાં સ્વ.રમેશભાઈ શીવાભાઈ ચાવડા (મૂળ જાંબુડીયા તા.વાંકાનેર)ના પુત્ર રાજેશના લગ્ન વર્ષા સુરેશભાઈ વાઘેલા મોરબી નિવાસી સાથે તથા સુરેશભાઈ ભુપતભાઈ વાઘેલાના પુત્ર પ્રકાશના લગ્ન શીતલ સ્વ.રમેશભાઈ ચાવડા સાથે આયોજિત કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ તકે દલિત સમાજના આગેવાનો મનુભાઈ સારેસા (મોરબી નગરપાલિકા કાઉન્સિલર) ગૌતમભાઈ સોલંકી (નગરપાલિકા કાઉન્સિલર), રાજનભાઈ પુરબીયા (યુવા ભાજપ આગેવાન), રવિભાઈ ધૂમલ (મહામંત્રી મોરબી જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો તથા પ્રદેશ મીડિયા કન્વીનર) ગુજરાત ગુરૂ બ્રાહ્મણ સમાજ
સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં આ તકે નામો ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!