Saturday, April 20, 2024
HomeGujaratમચ્છુ નદીમાં માછીમારી કરતી વખતે ડૂબી જવાથી યુવાનનું મોત : કોહવાયેલી હાલતમાં...

મચ્છુ નદીમાં માછીમારી કરતી વખતે ડૂબી જવાથી યુવાનનું મોત : કોહવાયેલી હાલતમાં લાશ મળી

ગત તા.૧ નાં રોજ મોરબીના જોધપર ગામ નજીક મચ્છુ નદીમાં માછીમારી કરતી વખતે ડૂબી જતાં યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. ત્યારે ગઈકાલે મચ્છુ નદીમાંથી આ યુવાનની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જોધપર નજીક મચ્છુ નદીમાંથી ગઈકાલે તા.૪ ના રોજ એક યુવાનની કહોવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને લાશને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગરમાં ભાડે મકાનમાં રહેતા રાજુભાઇ શિવજીભાઈ કિર (ઉ.વ.૪૦) નામનો મારવાડી યુવાન હોવાની ઓળખ મળી હતી. આ યુવાન ગત તા.૧ ના રોજ પોતાની જીજે-૩૬-ક્યુ-૫૩૧૦ રીક્ષા લઈને જોધપર પાસે ફેરા કરવા ગયો હતો ત્યારે મચ્છુ નદીમાં માછીમારી કરવા ઉતર્યો હતો અને તેનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું હતું, મોરબી તાલુકા પોલીસે આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!