Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુનાં ત્રણ બનાવો

મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુનાં ત્રણ બનાવો

લાલપર ગામ પાસે નર્મદા કેનાલમાં ડુબી જતા આધેડનું મોત

- Advertisement -
- Advertisement -

મોરબીનાં રામકૃષ્ણ સોસાયટી બ્લોક નં. C-2 માં રહેતા ધર્મેન્દ્રભાઈ નાનજીભાઈ ચાવડા (ઉં.વ.૪૯) નામનાં આધેડ ગઈકાલે તા. ૩૦નાં રોજ લાલપર ગામ પાસે નર્મદા કેનાલમાં કોઈ કારણસર પાણીમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકની ડેડબોડીને કેનાલમાંથી બહાર કાઢી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર : સીરામીક કારખાનાની ઓરડીમાં અગમ્ય કારણોસર વૃદ્ધનું મોત

મોરબી જીલ્લાનાં વાંકાનેર તાલુકામાં ટાઉમેટ સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા પ્રકાશભાઈ સોમીતીલાલ પારેખ (ઉં.વ.૬૩) નામનાં વૃદ્ધ કોઈ અજાણ્યા કારણોસર મોત નિપજ્યું હતું બાદમાં તેનાં મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વાંકાનેર સીટી પોલીસે બનાવ અંગે નોંધ તરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર : ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

વાંકાનેરમાં આરોગ્યનગર શેરી નં.૫માં રહેતાં અલ્પેશભાઈ વ્રજલાલ કડીવાર (ઉં.વ.૩૫) નામના યુવાને ગઈકાલે તા. ૩૦નાં રોજ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. વાંકાનેર સીટી પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!