Saturday, April 20, 2024
HomeGujaratમોરબી-વાંકાનેરમાં અપમૃત્યુનાં ત્રણ બનાવો

મોરબી-વાંકાનેરમાં અપમૃત્યુનાં ત્રણ બનાવો

મોરબી : ટાઈલ્સ કારખાનાનાં લેબર ક્વાર્ટરમાં તરૂણનો ગળેફાંસો ખાઈ આપઘાત

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ પશ્ચિમ બંગાળના કાનપૂરની વતની હાલ જોધપર નદી ગામમાં મીલો ટાઈલ્સ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા નૂપૂરસીંગ નાથસીંગ (ઉ.વ. આશરે ૧૮ વર્ષ)એ ગઈકાલે તા.૧૮ ના રોજ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકાના પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર : વઘાસીયા ગામે એસિડ પી લેતા પરિણીતાનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર વઘાસીયા ગામની રહેવાસી પ્રીયાબા વાસુદેવસિંહ ઝાલા (ઉ.વ.૨૪) નામની પરિણીતા પોતાના ઘરે એસીડ પી લેતા વાંકાનેર સરકારી હોસ્પીટલમાં સારવાર આપી રીફર કરેલ જેનું રસ્તામાં જ એમ્બ્યુલન્સમાં મોત થયું હતું. મૃતક મહિલાનો લગ્નગાળો પાંચ વર્ષનો છે અને સાડા ત્રણ વર્ષનું સંતાન છે. વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર : રાતાવિરડા ગામે કારખાનામાં ઉપરથી પડી જતાં યુવાનનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મુળ મહિસાગર જીલ્લાના લુણાવાડા ગામનો વતની અને હાલ વાંકાનેર તાલુકાનાં રાતાવિરડા ગામે રહેતા રમેશભાઈ ઉગાભાઈ બારીયા(ઉં.વ.૨૨) ગઈકાલે તા. ૧૮નાં રોજ અગમ્ય કારણોસર રાતાવિરડા ગામે રીફીર કારખાના ઉપરથી પડી જતાં તેનું મોત નિપજ્યું હતું. બાદમાં તેની ડેડબોડીને વાંકાનેર સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!