Friday, April 19, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવો

મોરબી જિલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવો

મોરબીના ઈડનગાર્ડનમાં પાંચમાં માળેથી પડી જતા બાળકનું મોત

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી ક્રિષ્ના સ્કૂલ પાસે ઈડન ગાર્ડનમાં રહેતા કેલસિંગ બામણીયાનો ૧૦ વર્ષનો દીકરો શિસપાલ રમતા રમતા પાંચમાં માળેથી પડી જતા ગંભીર ઈજા થતા બેભાન અવસ્થામાં સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન માસૂમનું મોત થયું છે એ ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરમાં પરિણીતાએ દવા પી જીવન ટૂંકાવ્યું

મળતી માહિતી અનુસાર ઘીયાવડ ગામના રહેવાસી મનીષાબેન સામંતભાઈ બાવળિયા (ઉ.વ.૨૦) નામની પરિણીતા તા. ૦૪ ના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં પરિણીતાનું મોત થયું હતું મૃતક પરિણીતાનો લગ્નગાળો ૨ વર્ષનો હોય જેને સંતાનમાં એક દીકરી હોવાનું જાણવા મળ્યું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

માળિયાના વવાણીયા ગામે પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મળતી માહિતી અનુસાર વવાણીયા ગામની રહેવાસી રજિયાબેન અશગરઅલી છેર (ઉ.વ.૨૧) નામની મુસ્લિમ પરિણીતા પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે મૃતક પરિણીતાનો લગ્નગાળો એક વર્ષનો હોય જે બનાવ મામલે માળિયા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!